ગુજરાતી ભાષા ખૂબ મજાની છે. ક્યાં જવું એક પ્રશ્ન હોય શકે, એક ઉત્તર હોય શકે અને એક કંટાળેલું વાક્ય પણ.
ક્યાં જવું? – એક પ્રશ્ન.
ક્યાં જવું – એક ઉત્તર
છોડ ને, ક્યાં જવું – એક કંટાળો
તમે નક્કી કરો કે આ કવિતા એક પ્રશ્ન છે, એક ઉત્તર , કંટાળો કે પછી એક ફરિયાદ!
સુરત, ગોપીપુરા, નિવાસી શ્રી મૂળશંકર શુક્લ ના “શ્રી આનંદ રામ શાસ્ત્રી” જી નું મંદિર તરીકે ઓળખાતા, મંદિર ના શ્રી ઠાકોરજી (શ્રી મદનમોહન લાલજી) ને, “ઠાકોરજી પ્રીત્યર્થે” પ્રોજેક્ટ હેઠળ, બીજે પધરાવવાની વાત ઉપડી અને નક્કી થયું કે એમને કામરેજ પધરાવવા ત્યારે લખાયેલી કવિતા.
જ્યારે કોઈ એક ગુણવાન એ કહ્યું કે આ IIT નો અથવા પૈસા નો નશો બોલી રહ્યો છે ભાઈ તારા માંથી, ત્યારે રચાયેલ આ બોલ.
આવનાર પેઢી યાદ કરજો કે એક વિરલા એ તમારા પક્ષે થઇ વિરોધ કરેલો, અને સેવાની વ્યવસ્થા કરવાની જવાબદારી લેવાની તૈયારી બતાવેલી, અને એટલે જ કહેવાતા જ્ઞાની અને ગુણી લોકો એ કેહવું પડ્યું કે “ભણતર નો નશો અને પૈસો બોલી રહ્યો છે”, કારણ બીજું કોઈ આપવાનું “કારણ” નહોતું! 😇
ક્યાં જવું (?)
જ્યાં મત ની કોઈ કિંમત નથી,
ત્યાં બોલવાનો અર્થ નથી…(૧)
પંચો એ પહેલે થી નક્કી કરેલ પરિણામ માં,
આપણે નકામા પંચ ખાવા જવાની જરૂર નથી…(૨)
બહુમત ના એકાવન ટકાના જ્યાં ચાલતા હોય છે ચલણ,
ત્યાં સસ્તા ભાવ માં વેચાય જવામાં માલ નથી… (૩)
ઠ તો ઠાકોરજી નો, અ અસબાબ નો, સ સેવા નો,
એવી બારખડી ના ઢ થવાની આપણ ને કોઈ ઉતાવળ નથી…(૪)
શીખ્યું કે ઘર ની વાત રાખવી ઘર માં, પણ મહાભારત ભજાય છે બજાર માં!
જે ચીરહરણ માં કૃષ્ણ વિચારે આવતા, એવી સભા માં કૃષ્ણા ને નહિ જવા નો અફસોસ નથી…(૫)
શું આ છે IIT નું અભિમાન, અને પાઉન્ડ નો નશો?
હોય તો હોય, પણ બદલાયેલા “ભાWin” ને એવી મેહફીલ ના આમંત્રણ ના વ્યવહાર માં રસ નથી…(૬)



શ્રી ઠાકોર જી ના સંધર્ભ માં લખેલ બીજી કવિતા ઓ:
-
શ્રી ઘરડા-ઓચ્છવ
ઠાકોર જી ને ઘરડાઘર માં ખસેડવા નો પ્રસંગ.
-
શ્રી ઠાકોરજી પ્રીત્યર્થે
શ્રી મૂળશંકર શુક્લ ના શાસ્ત્રી જી નું મંદિર કહેવાતા મંદિર ના શ્રી ઠાકોરજી ને, ઠાકોરજી પ્રીત્યર્થે પ્રોજેક્ટ હેઠળ, બીજે પધરાવવાની વાત.
-
નિર્ણય કર્યો
What do you want to achieve in life? What is your goal? તું જીવન માં શું બનવા માંગે છે? આ સવાલ નો આજે જવાબ મળ્યો…
This poetry was written by Bhavin Shukla on 01st Dec 2022.




Leave a comment